મમતા દિવસ વિશે સંપૂર્ણ જાણકારી .
1. મમતા દિવસ શુ છે ?
2.. મમતા દિવસ માં આપવા માં આવતી સેવાઓ .
3. મમતા દિવસ ના હેતુઓ .
4. મમતા દિવસ માં મળતા અન્ય લાભો .
5. મમતા દિવસ ના મહત્વ ના સંદેશાઓ .
1. મમતા દિવસ શુ છે ?
મમતા દિવસ એટલે અઠવાડિયા ના દર બુધવારે ઉજવવા માં આવતો એક એવો દિવસ કે તે દિવસે તમામ 0 થી 5 વર્ષ ના તમામ બાળકો ની તપાસ વજન અને રસીકરણ સેવાઓ . તેમજ તમામ સગર્ભા માતા ની તપાસ . ધાત્રી માતા . અને કિશોર અને કિશોરીઓ ની તપાસ અને સારવાર આપવા નો દિવસ એટલે મમતા દિવસ .
માતા . અને બાળક ને આરોગ્ય ની તમામ સેવાઓ મળી રહે એ માટે સરકાર દ્વારા દર બુધવારે મમતા દિવસ ની ઉજવણી કરવા માં આવે છે . જે મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ( phc ) અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ( chc ) પર દર સોમવારે અને સબ સેન્ટર અને અન્ય ગામડાઓ માં નક્કી કરેલ સ્થળ અને સમયે બુધવાર ના દિવસે આરોગ્ય સ્ટાફ . Fhw ( નર્સ બહેન ) mphw . Cho . આશા બહેન . આંગણવાડી વર્કર . હેલ્પર દ્વારા મમતા દિવસ માં નીચે મુજબ ની વિવિધ સેવાઓ આપવા આ આવે છે .
2. મમતા દિવસ માં આપવા માં આવતી સેવાઓ .
[ 1 ] સગર્ભામાતાઓ અને ધાત્રી માતાઓ ને અપાતી સેવાઓ.
[ 2 ] 0 થી 5 વર્ષ ના બાળકો ને અપાતી સેવાઓ .
[ 3 ] કિશોર કિશોરીઓ ને અપાતી સેવાઓ .
【 1 】સગર્ભામાતાઓ અને ધાત્રી માતાઓ ને અપાતી સેવાઓ.
સરકાર દ્વારા રાજ્ય ના તમામ શહેર અને ગામડાઓ માં દર બુધવારે પોતાના જ ગામ ની આંગણવાડી કેન્દ્ર અથવા સબ સેન્ટર પર બુધવારે આરોગ્ય કર્મચારીઓ ( fhw / mphw / આશા. Cho . આંગણવાડી વર્કર .હેલ્પર ) ની ટીમ દ્વારા મમતા દિવસ( શેસન ) નું આયોજન કરવા માં આવે છે . જેમાં દરેક સગર્ભા સ્ત્રી ને નીચે મુજબ ની તમામ સેવાઓ નિઃ શુલ્ક ( મફત ) માં આપવા માં આવે છે .
◆ મમતા દિવસ માં દરેક સગર્ભા માતા ને મમતા કાર્ડ આપવા માં આવે છે .
◆ મમતા દિવસ માં દરેક સગર્ભા માતા નું દર મહિને વજન . ઉંચાઈ કરવા માં આવે છે .
◆ મમતા દિવસ માં દરેક સગર્ભા માતા ને ગર્ભાવસ્થા ના શરૂઆત માં TD 1લો ડોજ અને 1લો ડોજ આપ્યા ના 4 અઠવાડિયા પછી TD 2જો બુસ્ટર ડોજ આપવા માં આવે છે.
◆ મમતા દિવસ માં દરેક સગર્ભા માતા ની પેશાબ ના રિપોર્ટ યુરિન આલ્બયુમીન . યુરિન સુગર . મફત તપાસ કરવા માં આવે છે .
◆ મમતા દિવસ માં દરેક સગર્ભા માતા ના લોહી ની તપાસ જેવી કે નું rbs ( ડાયાબીટીસ ) નો રિપોર્ટ . hb હિમોગ્લોબીન ( લોહી ના ટકા ) નો રિપોર્ટ . Hiv નો રિપોર્ટ . બ્લડ ગ્રુપ નો રિપોર્ટ . VDRL વગેરે . ઉપર મુજબ ના તમામ રિપોર્ટ મફત કરવા માં આવે છે .
◆ મમતા દિવસ માં દરેક સગર્ભા માતા નું BP ( બ્લડ પ્રેશર ) દર મહીને માપી દેવા માં આવે છે .
◆ મમતા દિવસ માં દરેક સગર્ભા માતા ના પેટ ની તપાસ ( fhw ) નર્સબહેન દ્વારા કરવા માં આવે છે .
◆ તેમજ સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી ફોલિક એસિડ . કૃમિ નાશક ( આલ્બેડાઝોલ ) . કેલ્શિયમ . અને લોહ તત્વ ( આયર્ન ) જરૂર ની તમામ દવાઓ મફત માં આપવા માં આવે છે .
■ તેમન ધાત્રી માતાઓ ને આયર્ન ( લોહ તત્વ ) ની અને કેલ્શિયમ ની ગોળીઓ આપવા માં આવે છે . તેમજ પ્રાથમિક તપાસ અને સારવાર આપવા માં આવે છે .
【 2 】0 થી 5 વર્ષ ના બાળકો ને અપાતી સેવાઓ .
સરકાર દ્વારા રાજ્ય ના તમામ શહેર અને ગામડાઓ માં દર બુધવારે પોતાના જ ગામ ની આંગણવાડી કેન્દ્ર અથવા સબ સેન્ટર પર બુધવારે આરોગ્ય કર્મચારીઓ ( fhw / mphw / આશા. Cho . આંગણવાડી વર્કર .હેલ્પર ) ની ટીમ દ્વારા મમતા દિવસ( શેસન ) નું આયોજન કરવા માં આવે છે . જેમાં તમામ 0 થી 5 વર્ષ ના બાળકો ને નીચે મુજબ ની તમામ સેવાઓ નિઃ શુલ્ક ( મફત ) માં આપવા માં આવે છે .
● 0 થી 5 વર્ષ ના તમામ બાળકો ના મમતા દિવસ માં વજન કરવા માં આવે છે .
● જન્મ સમયે બાળક ને opv ( પોલિયો ) નો 0 ડોજ . તેમજ હિપેટાઈટીસ બી અને બી.સી.જી . ની રસી આપવા માં આવે છે. ( જન્મ સમયે બી.સી.જી રસી ના મુકેલ હોય તો 1 મહિના સુધી માં મુકાવી દેવી . )
● 1.5 માસ ( 6ઠ્ઠા અઠવાડિયે ) ના બાળક ને મમતા દિવસ માં .ઓ.પી.વી 1લો ડોજ . આર.વી.વી. 1લો ડોજ. ( એફ.આઈ.પી.વી.1લો ડોજ . પેન્ટાવેલન્ટ 1લો ડોજ . પી.સી.વી 1લો ડોજ ની રસીઓ તદ્દન મફત માં આપવા માં આવે છે .
● 2.5 માસ ( 10માં અઠવાડિયે ) ના બાળક ને મમતા દિવસ માં ઓ.પી.વી 2જો ડોજ . આર.વી.વી. 2જો ડોજ . પેન્ટાવેલન્ટ 2જો ડોજ . ની તમામ રસીઓ મફત આપવા માં આવે છે .
● 3.5 માસ ( 14માં અઠવાડિયે ) ઓ.પી.વી 3જો ડોજ . આર.વી.વી. 3જો ડોજ એફ.આઈ.પી.વી.2જો ડોજ . પેન્ટાવેલન્ટ 3લો ડોજ . પી.સી.વી 2જો ડોજ ની આ તમામ રસીઓ તદ્દન મફત માં આપવા માં આવે છે .
● 9 માસ ના બાળકો ને એમ.આર.1લો ડોજ . અને વિટામીન એ . 1લો ડોજ પી.સી.વી બુસ્ટર ડોજ. એફ.આઈ.પી.વી 3જો ડોજ ની રસીઓ આપવા માં આવે છે .
● 16 થી 24 મહિના ના બાળકો ને ( opv ) ઓ.પી.બી બુસ્ટર ડોજ. એમ.આર.2જો ડોજ. ડી.પી.ટી. બુસ્ટર ડોજ આપવા માં આવે છે.
● 5 થી 6 વર્ષે ના બાળક ને ડી.પી.ટી બુસ્ટર ડોજ આપવા માં આવે છે .
● 10 વર્ષે ની કિશોરી ને ( T.D ) ટી.ડી 10 વર્ષ નો 1લો ડોજ આપવા માં આવે છે .
● 16 વર્ષે ની કિશોરી ને ( T.D ) ટી.ડી 16 વર્ષ નો 2જો ડોજ આપવા માં આવે છે .
વેકસીન ના ફૂલ ફોર્મ ( રસીઓ ના પુરા નામ )
દરેક રસીઓ ( વેકસીન ) ને ટુકા નામ થી બોલાવવા માં આવે છે . પરંતુ દરેક રસીઓ ક્યાં ક્યાં રોગ સામે રક્ષણ આપે છે . તેના પુરા નામ નીચે આપવા માં આવેલ .
1. Opv (ઓ.પી.વી ) = oral polio vaccine ( ઓરલ પોલિયો વેકસીન )
2. Bcg .( બી.સી.જી ) = bacille Calmette-Guerin( બેસીલસ કોલમેટ ગયુરેન ) ટી.બી .
3. Rvv .(આર.વી.વી.) = rotavirus vaccine (રોટા ( વાઇરસ)
4. Fipv.( એફ.આઈ. પી.વી ) = fractional inactivated poliovirus vaccine. ( ઇન્જેકટેબલ પોલિયો વેકસીન)
5. Pentavalent ( પેન્ટાવેલન્ટ ) =
1. Diphtheria, ( ડીપથેરિયા )
2. Pertussis, ( પરટુસિસ ) 3. Tetanus, ( ટેટનસ ધનુર )
4. Hepatitis B and ( હિપેટાઇટિસ બી ) (ઝેરી કમળો )
5. Hib (Haemophilus influenzae type b) ( હિમોફીલસ એંન્ફલ્યુંએન્ઝા ટાઈપ બી.) ( બેક્ટેરિયલ મેનિન્જાઇટીસ , ન્યુમોનિયા અને અન્ય રોગો .
6. PCV . ( પી.સી.વી.) = Pneumococcal conjugate vaccine. ( ન્યુમોકોકલ કન્જયુગેટ વેકસીન )
7. MR. ( એમ .આર) = measles and rubella ( ( ઓરી & રુબેલા )
8. T.D .( ટી.ડી ) = tetanus and diphtheria
( ટેટનસ ( ધનુર ) ડીપથેરિયા )
નોંધ... બાળક ને 9 મહિના ની ઉંમરે વિટામીન એ નો 1લો ડોજ આપવા માં આવે છે . ત્યારબાદ દર 6 મહિના ના અંતરે 5 વર્ષ સુધી વિટામિન એ નું પૂરક પોષણ ના ડોજ આપવા માં આવે છે.
【 3 】કિશોર કિશોરીઓ ને અપાતી સેવાઓ .
સરકાર દ્વારા રાજ્ય ના તમામ શહેર અને ગામડાઓ માં દર બુધવારે પોતાના જ ગામ ની આંગણવાડી કેન્દ્ર અથવા સબ સેન્ટર પર બુધવારે આરોગ્ય કર્મચારીઓ ( fhw / mphw / આશા. Cho . આંગણવાડી વર્કર .હેલ્પર ) ની ટીમ દ્વારા મમતા દિવસ( શેસન ) નું આયોજન કરવા માં આવે છે . જેમાં 10 થી 19 વર્ષ ની તમામ કિશોર અને કિશોરીઓ ને નીચે મુજબ ની તમામ સેવાઓ નિઃ શુલ્ક ( મફત ) માં આપવા માં આવે છે .
★ તમામ કિશોર કિશોરીઓ ને મમતા દિવસ માં આયર્ન ( લોહ તત્વ )ની ગોળીઓ આપવા માં આવે છે .
★ કિશોર કિશોરીઓ ને hb( હિમોગ્લોબીન ) લોહી ના ટકા નો રિપોર્ટ પણ કરી આપવા માં આવે છે .
★ 10 વર્ષે ની કિશોરી ને ટી.ડી 10 વર્ષ નો 1લો ડોજ આપવા માં આવે છે .
★ 16 વર્ષે ની કિશોરી ને ટી.ડી 16 વર્ષ નો 2જો ડોજ આપવા માં આવે છે .
★ તમામ કિશોર કિશોરીઓ ને મમતા દિવસ માં આરોગ્ય શિક્ષણ આપવા માં આવે છે .
3. મમતા દિવસ ના હેતુઓ .
મમતા દિવસ ના માધ્યમ થી ગામડાઓ અને શહેરી વિસ્તાર ના છેવાડા ના લોકો સુધી માતા. અને બાળક ની આરોગ્ય લક્ષી સેવાઓ દ્વારા બાળ મરણ . અને માતા મરણ અટકાવવો છે . મમતા દિવસ માં તમામ માતાઓ અને 0 થી 5 વર્ષ સુધી ના તમામ બાળકો ને આરોગ્ય લક્ષી તમામ પ્રાથમિક તપાસ અને રસીકરણ . એનિમિયા મુક્ત સેવાઓ. અને સગર્ભા માતા અને ધાત્રી માતાઓ ને પ્રાથમિક સારવાર . અને તપાસ અને રીફર સેવાઓ સાથે છેવાડા ના લોકો સુધી આરોગ્ય ની સેવાઓ આપવી . ગ્રામ્ય કક્ષા એ આરોગ્ય અને પોષણ ને લગતી અટકાયતી અને પ્રોત્સાહન સેવાઓ ઉપલબ્ધ કરાવવી .. icds અને આરોગ્ય વિભાગ ના સંકલન થી પોષણ અને એનિમિયા અટકાવ ની કામગીરીઓ કરવી . .
4. મમતા દિવસ માં મળતા અન્ય લાભો .
મમતા દિવસ એ આરોગ્ય સેવાઓ નો એક અગત્ય નો દિવસ છે . જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માં રહેતા છેવાડા ના અને મધ્યમ અને ગરીબ લોકો માટે ખૂબ જ અગત્ય ની સેવાઓ છે . જે સેવાઓ લેવા માટે લોકો ને દૂર દૂર શહેરો માં હજારો રૂપિયા ના ખર્ચ કરી ને લેવા જવું પડે છે . ત્યારે એ જ બધી સેવાઓ . સગર્ભા માતાઓ અને બાળકો નું તમામ રસીકરણ ની સેવાઓ તદ્દન મફત આપવા માં આવે છે . અને લોકો ના હજારો ની રકમ બચી જાય છે . એ રકમ નો ઉપયોગ એ પોષણ અને બાળકો ના શિક્ષણ પાછળ કરી શકે છે . અને આંગણવાડી કેન્દ્ર પર થી જરૂરી પોષણ યુક્ત આહાર ના બાળકો માટે બાળ શક્તિ . માતાઓ માટે માતૃશક્તિ . અને કિશોરીઓ માટે પૂર્ણાં શક્તિ જેવા આહાર . આયોડિન યુક્ત મીઠું પણ મફત આપવા માં આવે છે . તેમજ મમતા દિવસ ની સેવાઓ લેતા લાભાર્થીઓ ને બીજી યોજના ઓ ( jsy ) જનની સુરક્ષા યોજના ( kpsy ) કસ્તુરબા પોષણ સહાય યોજના . ( jssk ) જનની શિશુ સુરક્ષા યોજના . ( pmmvy ) પ્રધાનમંત્રી માતૃવંદના યોજના . વગેરે યોજનાઓ દ્વારા નાણાંકીય સહાય પણ આપવા માં આવે છે . તેમજ છેવાડા ના તમામ લોકો માટે પ્રાથમિક સારવાર અને આરોગ્ય શિક્ષણ પણ આપવા માં આવે છે . માટે મમતા દિવસ એ તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ લાભદાયક છે .
5. મમતા દિવસ ના મહત્વ ના સંદેશાઓ .
[ 1 ] કઈ રસી આપવા માં આવી છે અને તેનાથી ક્યાં ક્યાં રોગો સામે રક્ષણ મળે છે. તે જણાવો .
[ 2 ] આપવા માં આવેલ રસી ની સામાન્ય આડઅસરો શુ હોઈ શકે અને તેના ઉપાય શુ કરવા તે જણાંવવા.
[ 3 ] હવે પછી ની મુલાકાત માટે ક્યારે અને ક્યાં સ્થળે આવવા નું છે તે જણાવો .
[ 4 ] મમતા કાર્ડ સાચવીને રાખવું. અને બીજી વખત આવો ત્યારે ભૂલ્યા વગર સાથે લાવવા જણાવો .
ટિપ્પણી પોસ્ટ કરો