નવી સુધારેલ સ્તનપાન પદ્ધતિ . ( Cross cradle )

નવી સુધારેલ સ્તનપાન પદ્ધતિ . ( Cross cradle )





Cross cradle hold with cupping of breast


સ્તનમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે તમારે દિવસમાં 8થી 12 વખત સ્તનપાન કરાવવું જોઈએ. આ પદ્ધતિ દૂધ વધુ બનાવવામાં મદદરૂપ થશે. બાળક સ્તનપાન કરે, ત્યારે સ્તનમાં દૂધ બનાવવા ટ્રિગર કરનાર હાર્મોન ઉત્પન્ન થાય છે. જેને લેટ ડાઉન રીફલેક્સ કહેવામાં આવે છે. સ્તનના સ્નાયુઓ સંકોચાય છે અને નળીના માધ્યમથી દુધને ટ્રાન્સફર કરે ત્યારે લેટ ડાઉન રીફલેક્સ થાય છે. બાળક સ્તનપાન કરે એટલે તરત આવું થવા લાગે છે. જેથી દૂધ બનવાની પ્રક્રિયા જેમ સ્તનપાન કરાવશો તેમ સારી થશે.



નવી સુધારેલ સ્તનપાન પદ્ધતિ

Cross cradle hold with cupping of breast

માતાની તૈયારી

૧. યોગ્ય રીતે હાથ ધોવા અને સુકાવવાં.

૨. પાણી ઉકાળીને ગરમકર્યા બાદ ઠંડુ પાડીને હુંફાળુ કરીને પીવું.

3. જમીન, પલંગપર(આરામદાયક સ્થાને)બેસો અથવા ખુરશીપર (પગને આધાર મળી રહે એ રીતે) બેસવુ. જરૂર પડે તો પગના આધાર માટે પાટલાનો અથવા ફૂટરેસ્ટ નો ઉપયોગ કરવો.

૪. પીઠ ટટાર રાખવી અને પીઠને પાછળ ટેકો આપવો.
(જરૂર પડે તો તકીયાનો અથવા ઓશીકાનો ઉપયોગ કરવો.) 

૫.ખભા હળવા રાખેલા હોવા જોઇએ. (ઊંચા/ વાળેલા/ નમેલા નહીંરાખવા). 

૬. સ્તનને ઊઘાડો.
Ko
૭. સ્તન પર બ્રા/બ્લાઉઝનું કોઈ દબાણ નહીં રાખવું.

૮. સ્તનપાન આપતી વખતે બાળકને રૂમાલ કે બ્લેકેટમાથી ઉઘાડવું. ઠંડા વાતાવરણમાં બાળક ને ગરમ રૂમાલથી વીંટાળીને સ્તનપાન આપવું ધ્યાન રાખવું કે વધુ પડતા વીંટાળેલા કપડાં માતા અને બાળકના જોડાણ વચ્ચે અંતરાય બની શકે છે જે ટાળવું.

૯.જે સ્તન પર બાળકને રાખવાનું હોય તેની વિરુદ્ધ બાજુના હાથની બગલમાં બાળકના પગ જકડાઈને રાખવાં.

૧૦. અને આ જ વિરુદ્ધ બાજુના હાથથી બાળકનું માથું યોગ્ય રીતે પકડવું. (ડાબા સ્તન પર રાખવા માટે જમણા હાથથી પકડવું.)

૧૧. બાળકને સ્તન સુધી પહોંચાડો અને માતાએ આગળ નથી ઝુકવાનું.


માતાના અંગૂઠા અને આંગળીઓની સ્થિતિઃ

૧૨. માતાનો એક અંગૂઠો એક કાન પાછળ અને બાકીની આંગળીઓ બાળકનાં બીજા કાનની પાછળ હોવી જોઈએ.

૧૩. બાળકના બે ખભાનાં જોડાણ
વચ્ચે ટેકવો. (બંગડીઓ કાઢી નાખવી.)



બાળકની શારીરિક સ્થિતિઃ

૧૪. બાળકનું પેટ નરમાશથી માતાના પેટ જોડે દબાવવું જોઈએ.

૧૫. માથું, ગરદન અને શરીર સીધી રેખામાં હોવું જોઈએ.

૧૬. બાળકનું નાક સ્તનની ડીંટડી સામે રહેવું જોઈએ.

૧૭. બાળકનાં શરીરને સંપૂર્ણ આધાર હોવો જોઈએ.

૧૮. દાઢી સ્તનની નજીક લાવીને આગળ ની તરફ રાખવી આ માટે ગરદન ને સહેજ પાછળ તરફ ખેંચવું. જેમકે આપણે પાણી પીવા માટે ગરદન કરીએ છીએ.

સ્તનની પકડવાની રીતઃ

૧૯. માતાએ જે બાજુ બાળક ને ધવડાવવાનું હોય તે સ્તનને નીચેની તરફથી યુ(“U”) આકારની જેમ પકડવું.

૨૦. માતાનો એક અંગુઠો ઘડીયાળ ના ૯ વાગ્યેની સ્થિતિ પર હોવો જોઈએ અને બીજી આંગળી ૩ વાગ્યેની સ્થિતિ પર હોવી જોઈએ. (બાળક જ્યારે જમણા સ્તન પર હોય ત્યારે.)

૨૧. સ્તનની ડીંટડી થી અંગૂઠો અને આંગળીઓનું અંતર ૩ આંગળીનાં અંતર પર હોવું જોઈએ

૨૨. માતાની આંગળીઓ અને અંગૂઠો બાળકનાં હોઠની સમાંતર હોવું જોઈએ.

૨૩. બાળક જ્યારે મોં પોહળું કરે એ વખતે સ્તન પર દબાણ લાવી બને તે રીતે નીચેનો એરીઓલાનો ભાગ શક્ય હોય તેટલો વધુમાં વધુ ર્મોમાંઆવેતેનક્કી કરવું,

૨૪. સ્તનનું સમાન દબાણ અંગૂઠો અને આંગળીઓની મદદથી કરવું જોઈએ.

૨૫. વી-આકારના દબાણને ટાળવું, નહીં તો બાળક સ્તનની ડીંટડીથી જ ખોરાક લેશે..


ઘટ્ટ  જોડાણ

૨૬. મોટા ભાગે બાળકનું મોં ખોલવા માટે, સ્તનની ડીંટડીથી બાળકનાં ઉપલા હોઠને સ્પર્શ કરાવો.

૨૭. જ્યારે બાળક તેની મોટી મોં ફાળ ખોલે (લગભગ ૧૨૦ અંશ ના ખુણા જેટલી), ત્યારે સ્તન ને મોં માં સરકાવો. આ માટે થોડો સમય લાગી શકે છે. પરંતુ અત્યંત મહત્વનું એ છે કે બાળક મોટું મોં ખોલે તેના માટે ધીરજથી રાહ જોવી પડ્યું.

(થોડી સેકન્ડથી ૨થી૩ મિનિટ)

૨૮. ઉપલો હોઠ ફક્ત સ્તનની ડીંટડી ઉપર ટકી રહેશે અને નીચલો હોઠ નીચેના એરીઓલાનાં કીનારા પર અથવા નીચેના એરીઓલાનાં કીનારાથી બહારની બાજુની સ્તનની ચામડી પર ટકી રહેવો જોઇએ, જે બતાવે છે કે બાળક સારી રીતે સ્તન સાથે જોડાણમાં છે.

૨૯.... નીચલો હોઠ બહારની તરફ વળેલો હોવો જોઇએ.

30. મોટા સ્તનનાં કિસ્સામાં-નીચેનો હોઠ નીચેનાં એરીઓલાનાં કીનારા પરતો હોવો જ જોઇએ. જ્યારે નીચેનો હોઠ બરોબર દેખાતો ન હોય તો તેણી સ્થિતિ જાણવા નીચલા હોઠની નજીકથી સ્તનને સહેજ ઉપરની તરફ દબાવો જેથી નીચલા હોઠની સ્થિતિ જાણી શકાશે તથા આ સમયે નીચેના એરીઓલાનો મહત્વપૂર્ણ ભાગ મોંમા હોવો જોઇએ અને નીચેનો હોઠ બાહ્ય તરફ વળેલો હોવો જોઇએ.

૩૧...ડાઢી સ્તનમાં ખૂંપેલી હોવી જોઈએ.

૩૨. એકવાર નીચેનો એરીઓલાનો ભાગ ઘટ્ટ જોડાણમાં છે એની ખાતરી થઈ જાય, એટલે સ્તન પરનો હાથ દૂર કરી તેને બાળક પાછળ લાવો.

33. એક સ્તન ખાલી થાય પછી જ બીજી બાજુના સ્તન પર લાવવું.

૩૪. એક સ્તન સંપૂર્ણપણે ખાલી છે કે નહીં તે જોવા માટે, થોડું દૂધ બાહર કાઢવું અને જુઓ. જો બહાર નીકળેલું દૂધ પાણી યુકત હોય અને પાતળું હોય અથવા જો જાડા દૂધનો પ્રવાહ વધારે રીતે વહે છે તો પછી તેજ બાજુથી ખવડાવવાનું ચાલું રાખો.

આ રીતે દૂધ બહાર નીકાળવવા માટે બે આંગળી તથા અંગુઠા ને ડીંટડીથી બે આંગળીના અંતર પર સમાન એક રેખામાં રાખીને સ્તનને પાંસળી તરફ પાછળની તરફ હળવા દબાણ સાથે પાછળની તરફ સરકાવવો અને પછી તે જ બે આંગળી તથા અંગુઠા વડે સ્તન પર દબાણ આપવું જે સમયે દૂધ બહાર નીકળે છે અને પછી આંગળી તથા અંગુઠા વડે

સ્તન પર થી દબાણ હળવું કરીને સ્તનને આગળ લાવીને બિલકુલ દબાણ ના રહે તે રીતે સ્તનને મુક્ત કરો પણ ધ્યાન રાખો કે આંગળી તથા અંગુઠાથી સ્તન ને છોડવાના નથી. અને પછી પાછળ તરફ હળવા દબાણ સાથે સરકાવવા ની પ્રક્રિયા ચાલુ કરવી. (સ્તન સંપૂર્ણપણે ખાલી છે કે નહીં તે જોવા આ પ્રક્રિયા ૧ થી ૨ વખત કરીને ખાતરી કરી શકાય જ્યારે દૂધ બહાર કાઢીને બાળકને આપવા માટે જ્યાં સુધી સ્તન ખાલી ના થાય ત્યા સુધી આ પ્રક્રિયા કરી શકાય.)

૩૫. બન્ને ફોરમિલ્ક (આગળનું ધાવણ જે પાતળું, પાણીજેવું, પ્રોટીન યુક્ત ) અને હિંડમિલ્ક (પાછળનું ધાવણ જે જાડું, પીળું અને ચરબી યુક્ત હોય છે ) બાળક ને આપવું. 

૩૬..હંમેશા બન્ને બાજુના સ્તન બાળકને ધવડાવવા આપો. 

૩૭. અન્ય સ્તન પર લેતા પહેલાં બાળકને ઓડકાર લેવડાવવો. આ માટે આરામદાયક સ્થિતિ એ છે કે બાળક ને માતાના ખોળામાં બેસાડીને બાળકનું જડબુંમાતાની આંગળીઓ દ્વારા આધારભૂત રહે અને બાળકની છાતી માતાની હથેળી દ્વારા આધારભૂત રહે.

૩૮. જ્યારે બાળક સ્તનપાન લેતી વખતે ઊંઘે છે ત્યારે બાળકને જાગૃત કરો જેમ કે – પગ પર હાથ ફેરવવાં, પીઠ પર હાથ ફેરવવાં,કાનની પાછળ હાથ ફેરવવાં અથવા બાળકને ઓડકાર લેવાની સ્થિતિમાં બેસાડવું.

૩૯. જો બાળક નીપલ ફીડિંગ કરે છે અથવા સ્તનપાન લેતી વખતે બાળક ઊંઘી જાય છે એ વખતે ચોખ્ખી ટચલી આંગળીનો ઉપયોગ કરીને તેને છોડાવવું.

૪૦. બાળક ઊંઘીને ઊઠે એટલે તરત જ સ્તનપાન કરાવવું જ્યારે પ્રારંભિક ભૂખ લાગવાના સંકેતો જેમ કે -અમળાવવું, શરીરનું હલનચલન કરવું, આંગળીઓ મોં માં નાખવી, મોં ખોલવું અને લાળ પાડે ત્યારે, જ્યારે રડે છે તો બહુ મોડું થઇ ગયેલ છે તે માતાએ જાણવું.

૪૧. જો બાળકનું નાક દબાય છે તો બાળક્ની ગરદનને સહેજ પાછળની તરફ એ રીતે કરવી કે દાઢી સ્તનમા ખુંપે અને મગજનો ભાગ પાછળની તરફ આવે. 

૪૨..યોગ્ય ઘટ્ટ જોડાણ છે કે નહી એ જાણવાં માટે બાળકનું મોઢું ભરેલું હોવું  જોઇએ, બાળકના ગાલમાં ખાડા ન પડવા જોઇએ. કોઈ ઝડપી ચુસવાનો અવાજ ના આવવો જોઇએ, જડબું ધીમે ધીમે અને સ્પષ્ટ રીતે હલનચલન કરતું રહેવું જોઇએ.

૪૩. ૨૪ કલાકમાં સ્તનપાન ૧૦-૧૨ વખત.

૪૪...રાત્રે ૨-૩ વખત સ્તનપાન કરાવવું.

૪૫. વૃદ્ધિઅવધિ -૨ અઠવાડિયા, ૬ અઠવાડિયા અને૩ મહિના આ સમય દરમ્યાન બાળકને દુધ ની માંગ વધારે હોય છે . એટલે આ વખતે વારંવાર સ્તનપાન કરાવવું. અને ઘટ્ટ જોડાણ છે કે નહી એ તપાસવું...




ફક્ત સ્તનપાન શુ છે . ? 

ફક્ત સ્તનપાન એટલે શરૂઆતના ૬ મહિના (૧૮૦ દિવસો) માટે બાળકને માત્ર માતાનું દૂધ પાવું. માતાનું દૂધ બધા પોષક તત્વો પૂરા પાડે છે અને ૬ મહિના સુધી બાળકની પાણીની પૂરતી જરૂરિયાત ધરાવે છે; ફક્ત સ્તનપાન કરતા શિશુને બીજી કોઇ વસ્તુ આપવાની રહેતી નથી.

જન્મ પછી તરત જ સ્તનપાનની વહેલી શરૂઆત અથવા નિશ્ચિતરૂપે જન્મના એક કલાકની અંદર ‘ગાઢું દૂધ’ (colostrums) (માતાનું પહેલું દૂધ) નવજાત શિશુને રોગો સામે લડવામાં મદદ કરે છે. કલોસ્ટ્રમ- પ્રથમ ગાઢું પીળું દૂધ નવજાત શિશુના પોષણ અને ચેપ તથા રોગો સામે રક્ષણ પૂરૂં પાડે છે. આનાથી સ્તનના દૂધના પ્રવાહને પણ પ્રોત્સાહિત કરે છે, બાળકને હૂંફાળું રાખે છે અને માતા અને બાળક વચ્ચેના સંબંધને ઉત્તેજન આપે છે.

તમે માતા-પિતાને યાદ અપાવી શકો છો કે સ્તનનું દૂધ મગજના સારા વિકાસમાં મદદ કરે છે, પ્રમાણસર વિકાસને સુનિશ્ચિત કરે છે અને બુદ્ધિને સતેજ બનાવે છે, પ્રૌઢ વયે ગંભીર માંદગી સામે રક્ષણ આપે છે, સ્થૂળતા, તણાવ (લોહીનું દબાણ), મધુપ્રમેહ વગેરે સામે રક્ષણ આપે છે.

માતાએ રાત દિવસ બાળક ઇચ્છે તેટલીવાર સ્તનપાન કરાવવું જોઇએ. વારંવાર સ્તનપાન વધુ દૂધ ઉત્પન્ન કરવામાં માતાઓને મદદ કરે છે.

. માતાએ બાળકને શ્રેષ્ઠ પોષણ મળે અને માંદગીમાંથી ઝડપથી સાજુ થાય તે માટે ઝાડો અથવા બીજી કોઇપણ બીમારી હોય તો પણ સ્તનપાન ચાલુ રાખવું જોઇએ.

• ધાત્રી માતાએ આ સમયે બાળકને પૂરતું દૂધ આપવા માટે વધુ જમવું જોઇએ અને મોટા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવું જોઇએ.

માતાએ બેચેની, મોં ખુલ્લું રાખવું અને એક બાજુથી બીજી બાજુ માથું ફેરવવું, જીભ અંદ બહાર કરવી અને આંગળીઓ અથવા મુઠ્ઠી ચૂસવા જેવી બાળકને વહેલા ભૂખન નિશાનીઓ પર ધ્યાન આપવુ/નિરીક્ષણ કરવું જોઇએ. રડવું એ ભૂખની મોડેથી થત નિશાની છે,માતાએ સ્તનપાન સમયે બાળકને વાતચીત કરવા પ્રોત્સાહિત કરવા બાળકની આંખમાં જોઇને સ્મિત અને વાત કરવી જોઇએ (પરંતુ સ્તનપાન સમયે બાળકને હલાવવું નહિ).


સ્તનપાનના ફાયદાઓ


નિષ્ણાતોનું માનવું છે કે સ્તનપાન, મા અને બાળક બંને માટે ફાયદાકારક છે. માનું દૂધ બાળકોને ઇન્ફૅક્શન, ઝાડા અને ઊલટીથી બચાવે છે. જે બાળકો માતાનું દૂધ પીતા હોય તેમને આગળ જઈને જાડાપણું અને બીજી બીમારીઓનું જોખમ ઓછું રહે છે. દૂધ પીવડાવવું માતા માટે પણ ફાયદાકારક છે.

ધાવણ પોષણના કોઇપણ સ્ત્રોત કરતાં શ્રેષ્ઠ છે, તે માતા અને બાળકના સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરે છે:

  • તમારા બાળક/બાળકીને તેની જિંદગીના પહેલા ૬ મહિના ફક્ત સ્તનપાન પર રાખવું અત્યંત જરૂરી છે, કારણ કે તે તેને જઠરાગ્નિ સમસ્યાઓ સામે રક્ષણ આપે છે - તે પાચનમાં સહેલું છે અને તેનાથી કબજિયાત નથી થતી. તે બાળકની જઠરાગ્નિ રોગ-પ્રતિકારક શક્તિ વધારે છે.
  • સ્તનપાન દમના રોગ અને કાનના ચેપ સામે રક્ષણ આપે છે - કારણ કે તે બાળકના નાક અને ગળાના પટલમાં એક રક્ષણાત્મક સ્તર બનાવે છે.
  • ગાયનું દૂધ કોઈ બાળકોમાં ગંભીર ઍલર્જીનું કારણ બને છે. સ્તનપાન તેના સામે ૧૦૦% સુરક્ષિત છે.
  • સંશોધન બતાવે છે કે જે શિશુ જેને સ્તનપાન કરાવેલ છે તે આગળ ચાલીને સ્થૂળતાનો શિકાર નથી થતા. આનું કારણ તે હોઈ શકે છે કે જ્યાં સુધી તેમને ભૂખ હોય ત્યાં સુધી તે ધાવણ લઈ શકે છે અને શરૂઆતથી તે વજન વધવાની પ્રકૃતિ નથી ધરાવતા.
  • બાળપણમાં લ્યુકેમિયા, મોટા થઈને ટાઇપ ૧ ડાયાબીટીસ અને ઉચ્ચ રક્ત ચાપના અટકાવથી સ્તનપાનને જોડવામાં આવે છે.
  • સ્તનપાન બાળકની બુદ્ધિમાં વધારો કરે છે એવું માનવામાં આવે છે કારણ કે એક બાજુ માતા અને બાળક વચ્ચેના ભાવનાત્મક જોડાણ અને બાળકના મગજના વિકાસ માટે જરૂરી ઘણા ફેટી એસિડ્સ ધરાવે છે.
  • નવી માતા જે સ્તનપાન કરાવે છે, જે સ્તનપાન નથી કરાવતી તેના કરતા સુવાવડ બાદ વજન જલ્દી ઉતારે છે. તે તણાવ અને પ્રસૂતિ બાદના રક્તસ્રાવને ઘટાડવા મદદ કરે છે.
  • જો સ્તનપાન કરવામાં આવે તો સ્તન અને અંડાશયના કેન્સરનું જોખમ ઓછુ થાય છે -- સમયગાળો જેટલો વધારે જોખમ તેટલું ઓછુ.
  • સ્તનપાન અનુકૂળ, કિંમત મુક્ત છે, (બજારમાં મળેલ બાળક માટેના ખોરાક, દુધની બોટલ અને અન્ય વસ્તુઓ જે બાળકને ઉપરનો ખોરાક આપવામાં વપરાય) અને સૌથી શ્રેષ્ઠ છે કે તે માતા અને બાળકને ભાવાત્મક રીતે બાંધવામાં મદદ કરે છે. શારીરિક સંપર્કે પણ શિશુ માટે આરામદાયક સ્ત્રોત છે.
  • તે યોગ્ય પ્રમાણ માં તમામ જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.
  • તે એલર્જી, માંદગી, અને સ્થૂળતા સામે રક્ષણ આપે છે.
  • તે ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે.
  • તે ચેપ સામે રક્ષણ આપે છે.
  • તે સરળતાથી પચાવી શકાય છે - કોઈ કબજિયાત, અતિસાર થતું નથી.
  • તેઓ વધવા તરીકે શિશુઓ તંદુરસ્ત વજન હોય છે.
  • તે તમારા બાળક ને જ્યારે જરૂર પડે ત્યાંરે ઉપલબ્ધ હોય છે.
  • તે યોગ્ય તાપમાને હંમેશા સ્વચ્છ અને મફત છે. ટુંક્મા માતાનું દૂધ તમારા બાળક માટે સંપૂર્ણ ખોરાક છે.

સ્તનપાનના માતાઓ માટે ફાયદાઓ-

 સંશોધનનો દ્વરા સ્પષ્ટ થયુ છે કે સ્તનપાનથી માતાને નોંધપાત્ર આરોગ્યપ્રદ લાભો થાય છે જેવા કે,

  • સ્તનપાન સ્ત્રીઓને બાળકના જન્મ પછી વજન ગુમાવી(ધટાડ્વા માં) મદદ કરી શકે છે.
  • અંડાશયના કેન્સર અને સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે.
  • ઓસ્ટીયોપોરોસિસ જોખમ ઘટાડે છે.
  • બાળજન્મ પછી પુનઃપ્રાપ્તિ સમય ઘટાડે છે. સ્તનની ડીંટડીની બળતરા દ્વારા ઓક્સીટોસીનના વધારાના ભાગોનું પ્રકાશન ગર્ભાશયની સંક્રમણને ઉતાવળ કરવામાં મદદ કરે છે. આ પોસ્ટપાર્ટમ હેમરેજનું જોખમ ઘટાડે છે.
  • લાંબા સમય સુધી સ્તનપાન જોખમ ઘટાડે છે સ્તન કેન્સર અને અંડાશય. એક વર્ષથી વધુ સમયથી સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે આ ખાસ કરીને સ્પષ્ટ છે. તેમને હાઈપરટેન્શન અને ડાયાબિટીસનું જોખમ ઓછું હોય છે.
  • સ્તનપાન પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની શક્યતા ઘટાડે છે. તમારા બાળક સાથે રહેવાથી અને તેની કાળજી લેવાથી તમારો મૂડ સુધરે છે, તમારી ભાવનાત્મક સ્થિતિ વધે છે અને હતાશ મૂડનો સામનો કરવામાં મદદ મળે છે.
  • આહારમાં સુધારો કરવો અને સંભવિત બિનઆરોગ્યપ્રદ ખોરાકને આહારમાંથી દૂર કરવાથી ધીમે ધીમે સ્વસ્થ જીવનશૈલીના સિદ્ધાંતોને અપનાવવામાં મદદ મળે છે. સ્તનપાન વધારાની કેલરીનો વપરાશ કરે છે, જે સ્ત્રીઓને ડિલિવરી પછી વધુ ઝડપથી વજન ઘટાડવાની મંજૂરી આપે છે.

સ્તનપાન સિવાય અન્ય ખોરાક – દૂધ વગેરે વા૫૨વાથી થતું નુકશાન

શિશુને થતું નુકશાન 

  1. અન્ય દૂધ કે ખોરાક શિશુને યોગ્ય પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન આપી શકતા નથી. તેથી શારીરીક – માનસિક વિકાસ ધીમો ૫ડે છે.
  2. અન્ય દૂધ કે ખોરાક શિશુને ચે૫ લાગવાનું જોખમ વધારે છે. વળી તેમાં કોઈ રોગપ્રતિકા૨ક તત્વો હોતા નથી.
  3. અન્ય દૂધ કે ખોરાક શિશુને માટે એલર્જીજન્ય કે અપાચ્ય હોઈ શકે છે.
  4. અન્ય દૂધ કે ખોરાક શિશુના માનસિક ઘડત૨ અને મગજશકિતના વિકાસમાં સ્તનપાન જેટલા મદદરૂ૫ નથી.
  5. અન્ય દૂધ કે ખોરાક એ અત્યંત મોંઘો વિકલ્પ સાબિત થશે.
  6. અન્ય દૂધ કે ખોરાક શિશુને પાતળા ઝાડાનું કા૨ણ બની શકે છે.
  7. અન્ય દૂધ કે ખોરાક લાંબા ગાળે કેટલાંક અન્ય રોગો જેમ કે ડાયાબિટીસ, દમ, ખ૨જવું વિગેરે અટકાવવામાં સ્તનપાન જેટલા સફળ નથી.

માતાને નુક્શાન

  1. લાંબાગાળે અંડાશય અને સ્તન કેન્સ૨નું જોખમ વધે છે.
  2. પ્રસૂતિ ૫છી પાંડુરોગની સંભાવના વધે છે.
  3. જલ્દી-જલ્દી બીજીવા૨ સગર્ભા બનવાનું જોખમ વધે છે.

બાળકને ક્યારે સ્તનપાન શરૂ કરવું જોઈએ?

સ્તનપાન બાળકના જન્મના તરત બાદ કરવું જોઈએ. નગ્ન બાળકને માતાએ ત્વચા-થી-ત્વચાના સંપર્ક માટે તેના સ્તનના એકદમ નજીક પકડવું જોઈએ. તે દૂધના સરળ પ્રવાહને ઉત્તેજિત કરે છે અને બાળકને ગરમ રાખે છે. તે માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક બંધન બનાવવા મદદ કરે છે.


સ્તનપાન શા માટે વહેલું શરૂ કરવું જોઈએ?

તેના ચાર પ્રાથમિક કારણો છે:

  • બાળક પહેલા ૩૦થી ૬૦ મિનિટમાં સૌથી સક્રિય હોય છે.
  • બાળકની ધાવણ લેવાની પ્રતિક્રિયા તે સમયે સૌથી વધુ સક્રિય છે.
  • વહેલી શરૂઆત ખાતરી આપે છે કે સ્તનપાન સફળ રહેશે. કોલેસ્ટૉર્મ, સ્તનમાંથી આવતું પહેલું પીળું સ્ત્રાવ, તેમાં એવા પદાર્થો છે જે બાળક ને ચેપથી બચાવે છે; તે લગભગ રસી જેવું છે.
  • તે સ્તનમાં થતા સોજાને દુખાવાને અટકાવે છે અને સુવાવડ પછીનો રક્તસ્રાવ ઘટાડે છે.

સીઝેરીયન થયેલ મહિલાઓ પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે છે?

આ ઑપરેશન બાળકને સફળતાપૂર્વક સ્તનપાન કરવાની ક્ષમતા પર કોઈ અસર કરતું નથી.

  • ઑપરેશનના ૪ કલાક પછી સ્તનપાન શરૂ કરી શકાય છે અથવા નિશ્ચેતનાના અસરમાંથી તમે બહાર આવો ત્યારે
  • તમે તમારું શરીર એક બજુ નમાવી (સુતેલી સ્થિતિમાં) અને ધાવણ આપવાનું ચાલુ કરી શકો છો, અથવા તમે બાળકને તમારા પેટ પર સુવડાવીને ધવડાવી શકો છો
  • બધી માતા જેમનું બાળક સીઝેરીયન દ્વારા જન્મેલ છે તે પહેલા થોડા દિવસની મદદ પછી તેમના બાળકને ધવડાવામાં સફળ રહે છે

શું બીમારીમાં પણ મહિલા સ્તનપાન કરવી શકે છે?

હા. મોટાભાગના રોગો બાળકને અસર નથી કરતા. ટાઈફોઈડ, મેલેરિયા, ક્ષય, કમળો, અથવા રક્તપિત્તના કારણે સ્તનપાન બંધ કરવાની જરૂર નથી.


ગેરમાન્યતા અને હકીકત:


માન્યતા: પહેલું પીળું દૂધ ના પીવડાવું જાઈએ.

હકીકત: પહેલું દૂધ, કોલોસ્ટ્રમ (Colostrum) બાળક માટે ખુબ જ જરૂરી છે. જેમાં પ્રોટીન ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે.

માન્યતા: મા ને નબળાઈ હોય ત્યારે સ્તનપાન ના કરાવવું જાઈએ.

હકીકત: ભારતમાં મોટા ભાગે મહિલાઓ ને ૪૦૦-૬૦૦ ml દૂધ પહેલા વર્ષમાં આવે છે. સ્તનપાન કરાવવું જ જાઈએ અને પૌષ્ટિક આહાર જેમકે દાળ, લીલા શાકભાજી, સુપ જેવો ખોરાક દર ત્રણથી છઃ કલાક પર લેવો જાઈએ. જે માસાહારી હોય તેમણે ઈંડા અને માંસ ખાવામાં કોઈ વાંધો નથી.

માન્યતા: જે મહિલાઓ સ્તનપાન કરાવે છે તેઓ ગર્ભનિરોધક બની જાય છે..

હકીકત: ફક્ત ૫૦% મહિલાઓ ને સ્તનપાન દરમિયાનના ૬-૮ મહિનાઓ સુધી માસિક આવતું નથી જેના કારણે તેઓ ગર્ભનિરોધક ઉપાયો નો પ્રયોગ કરતી નથી. પરતું માસિક આવવના સમય કાળ દરમિયાન પ્રેગનેન્સી રહી શકે છે. માટે જ આના વિકલ્પ રૂપે ડોક્ટરની યોગ્ય સલાહ લેવી.

માન્યતા: ડબ્બા નું દૂધ / બોટલનું દૂધ વધુ પૌષ્ટિક હોય છે.

હકીકત: મા ના ૧૦૦ ml દૂધમાં ૧ gm Protien અને 70 Kcal હોય છે.આ શિશુના વિકાસ માટે પર્યાપ્ત છે.

માન્યતા: દૂધ પિવડાવવાથી શરીર જાડું થાય છે.

હકીકત: સ્તનપાન કરાવવના સમયકાળ વખતે વધુ ઘી-તેલ વાળી વસ્તુઓ ખાવાથી અને કસરત ના કરવાથી ચરબી જમા થાય છે અને મેદસ્વીપણું આવે છે.

માન્યતા: નાના આકારના સ્તનમાં દૂધનું ઉત્પાદન ઓછું થાય છે..

હકીકત: સ્તનના આકારની અસર દૂધના ઉત્પાદન પર થતી નથી સારો ખોરાક લેવાથી અને નિયમિત સ્તનપાન કરાવવાથી બાળકની જરૂરિયાત અનુસાર દૂધ બને છે.

માન્યતા: સ્તનપાનના સમય ગાળા દરમિયાન માતાએ ઠંડો ખોરાક જ ખાવો જાઈએ. ફળ, શાકભાજી, રોટલી ના ખાવું જાઈએ, તેનાથી બાળક ને પાચન માં તકલીફ પડે છે.

હકીકત: સેવન કરેલા ખોરાક ના પાચન પછી જ દૂધ બને છે. હંમેશા માતા એ પૌષ્ટીક અને સંતુલિત આહાર લેવો જાઈએ માતાનું દૂધ બાળક માટે હંમેશા સુપાચ્ય જ હોય છે.

માન્યતા: દર બે કલાકે દૂધ પિવડાવવું જાઈએ નહીંતર બાળક નબળું પડી જાય છે.

હકીકત: બાળકને જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે તેને સ્તનપાન કરાવવું જાઈએ (Demand feeding)આના થી બાળકનું વજન પણ વધે છે. બાળકનું વજન અને તેની જરૂરીયાત અનુસાર ૧-૫ કલાકમાં તેને ભૂખ લાગતી હોય છે. બાળક જો દિવસમાં ૬-૮ વખત પેશાબ કરે તો તે પર્યાપ્ત સ્તનપાન કરે છે જન્મ ના પહેલા સપ્તાહમાં દરેક બાળકનું ૧૦% વજન ઓછું થાય છે. બાળક તેના જન્મ ના બીજા સપ્તાહની સમપ્તિ સુધીમાં બરાબર વજનનું થઈ જાય છે. 20gm/day વજન વધારો સામાન્ય છે.

માન્યતા: માતાએ કામનું પુનઃ પ્રારંભ કરતા પહેલા મા નું દૂધ છોડાવી દેવું જાઈએ.

હકીકત: માં નું દૂધ સાફ વાસણમાં કાઢીને બાળકને આપવું જાઈએ. આ વાતને એક્સપ્રેસ્ડ મીલ્ક (expressed milk) માં સમજાવી છે.

માન્યતા: વધુ સ્તનપાન કરાવવાથી બાળક હંમેશા માં પર આધિન રહેશે..

હકીકત: સંશોધન પ્રમાણે સ્તનપાન ભાવનાત્મક સેતુ બાંધવામાં મદદ કરે છે. અને આવા બાળક વધારે સંતુલિત લાગણીઓ વાળા અને સ્વતંત્ર બને છે.

માન્યતા: એક વર્ષ સુધી સ્તનપાન કરાવવાથી બાળક ને મા ના દૂધની ટેવ પડી જાય છે.

હકીકત: મોટા ભાગે બાળકો પોતાના સ્વાદનુસાર નવી વસ્તુઓ જમે છે. ઘણા બાળકો પોતાની રીતે જ દૂધ છોડી દે છે અને ઘણા બાળકો વધારે સમય લગાવે છે. પરંતુ આ બીકથી દૂધ પિવડાવવાનું છોડવું જાઈએ નહી.

માન્યતા: બીમાર થવા પર દૂધ પિવડાવવાનું બંધ કરી દેવું જાઈએ.

હકીકત: જો તમે બિમાર છો, તો તમારું બાળક એ બિમારી ના ક્ષેત્રમાં આવી જ ગયું છે. સ્તનપાન થી તેને રક્ષણાત્મક એન્ટીબોડી (Antibodies) મળશે ડોકરની સલાહ બાદ જ દવાઓ લેવી. તમારા ડોક્ટર તમને યોગ્ય દવા આપી શકશે જેનાથી માં ના દૂધ માં તેનો સ્ત્રાવ ના થાય અને બાળક ને નુકશાન ના પહોંચે.

માન્યતા: કસરત કરવાથી દૂધ ખાટુ થઈ જાય છે અને બાળક દૂધ પિતું નથી..

હકીકત: સંશોધન અનુસાર કસરતથી માં ના દૂધમાં કંઈ જ ફેર પડતો નથી. પરસેવો અથવા પરસેવાની દૂર્ગંધ ના લીધે બાળક દૂધ નથી પીતું એટલા માટે ચોખ્ખાઈનું ધ્યાન રાખવું.

માન્યતા: માસિક દરમિયાન અથવા બીજી પ્રેગ્નેન્સી રહી જવા બાદ બાળક ને દૂધ ના પીવડાવું જાઈએ.

હકીકત: આ પરિબળોનું સ્તનપાન કે દૂધ ના ઉત્પાદન પર કોઈ અસર થતી નથી





Post a Comment

વધુ નવું વધુ જૂનું